up
ગ્રુપની વેબસાઇટ્સ

નેતૃત્વ

શ્રી નીરજ ચોક્સી અને શ્રી જીજ્ઞેશ દેસાઈ બન્ને ફર્સ્ટ જનરેશનના બિઝનેસમેન છે, જેમણે 1994 માં 'NJ' ની શાનદાર સફરની શરૂઆત કરી. ઘરેથી કામ કરવાની એક વિનમ્ર શરૂઆત પછી, જેમ-જેમ સમય પસાર થયો, તેમણે ગ્રુપને અનેક બિઝનેસો તરફ સફળતાપૂર્વક આગળ વધાર્યો.
બન્ને સંસ્થાપકો સામાન્ય લોકો સુધી ફાઇનેંશિયલ ઇન્ક્લૂઝન (સમાવેશન) પહોંચાડવા અને સારી ફાઇનેંશિયલ સ્વાસ્થ્યના માધ્યમથી તેમના જીવનને સમૃદ્ધ બનાવવાનો અવસર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહ્યા છે. સાથે-સાથે, ઉદ્યોગના લક્ષ્યને આગળ વધારવામાં અને રોકાણકારોના હિતોને પ્રોત્સાહિત કરવામાં પણ સક્રિય રીતે પ્રયત્નશીલ છે. પ્રમોટરો ગ્રુપના શિક્ષણ અને પ્રશિક્ષણની પહેલો (initiatives) દ્વારા સમાજની સમૃદ્ધિ માટે પણ તેમનું યોગદાન આપે છે.
Neeraj Choksi

શ્રી નીરજ ચોક્સી

સહ-સંસ્થાપક, NJ ગ્રુપ

શ્રી નીરજ ચોક્સી 1994 થી NJ ગ્રુપ ઑફ કંપનીઝના સહ-સંસ્થાપક અને પ્રમોટર છે. તેમણે 1992માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયથી બિઝનેસ મેનેજમેંટમાં ગ્રેજ્યુએટ થયા. તેઓ એફપીએસબી (FPSB) USA સાથે સંલગ્ન ફાઇનેંશિયલ પ્લાનિંગ સ્ટૈંડર્ડ્સ બોર્ડ (FPSB India) ના પ્રમાણિત ફાઇનેંશિયલ પ્લાનર છે. ભારતીય વીમા સંસ્થા ના એસોસિએટ અને અમેરિકન એસોસિએશન ઑફ મેનેજમેંટથી સર્ટિફાઇડ ટ્રસ્ટ અને એસ્ટેટ પ્લાનર (CTEP) છે.

1994 માં, ગ્રેજ્યુએટ થયા પછી તરત જ, તેમણે શ્રી જીજ્ઞેશ દેસાઈ સાથે સુરતમાં ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ પ્રારંભ કર્યો. વર્તમાનમાં, NJ ઇંડિયા ઇન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ભારતના સૌથી મોટા ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર્સમાંનું એક છે. NJ ગ્રુપ ભારતમાં 205+ સ્થાનો પર ઑફિસો સાથે વ્યાપક ઉપસ્થિતિ ધરાવે છે. ગ્રુપ પાસે 2339 કર્મચારીઓનું કાર્યબળ છે. ગ્રુપનો મુખ્ય બિઝનેસ, NJ વેલ્થ પાસે, 31/03/2025 સુધી 45,910 એક્ટિવ ડિસ્ટ્રીબ્યૂટર્સ અને 2,37,736 કરોડ રૂપિયાથી વધુનું એસેટ્સ અંડર મેનેજમેંટ (AUM) છે.

NJ ગ્રુપ, ફાઇનેંશિયલ સર્વિસેસ હેઠળ, ઇંશ્યોરેંસ બ્રોકિંગ, એસેટ મેનેજમેંટ જેવા ક્ષેત્રોમાં પણ કાર્યરત છે અને તેની પોતાની NBFC (નૉન-બેંકિંગ ફાઇનેંશિયલ કંપની) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના વિરૂદ્ધ લોન પ્રદાન કરે છે.

શ્રી નીરજ એસેટ મેનેજમેંટ બિઝનેસના ચેયરમેન પણ છે, જે 31/03/2025 સુધી 10,475 કરોડ રૂપિયાના એસેટ્સ અંડર મેનેજમેંટ (AUM) નું મેનેજમેંટ કરી રહ્યા છે.

જો કે, ગ્રુપનો મુખ્ય બિઝનેસ ફાઇનેંશિયલ સર્વિસેસ રહ્યુ છે, પરંતુ ગ્રુપે ફાઇનેંશિયલ સર્વિસેસના અતિરિક્ત ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી, રિયલ એસ્ટેટ, એફએમસીજી (FMCG) અને અન્ય બિઝનેસ ક્ષેત્રોમાં પણ પ્રવેશ કર્યો છે.

આ સાથે જ,

  • 2011 થી 2018 સાત વર્ષ સુધી સેબી (SEBI)ની મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી છે અને વર્તમાનમાં SEBIની મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર સમિતિના સભ્ય પણ છે.
  • મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર સમિતિના અતિરિક્ત, તેઓ SEBIના ઘણા કાર્યકારી ગ્રુપ્સ અને સમિતિઓના સભ્ય પણ રહ્યા છે.
  • NSDL બિઝનેસ એડવાઇઝરી કમિટી, BSE કેપિટલ માર્કેટ કમિટી, NSE ટ્રેડિંગ મેંબર એડવાઇઝરી કમિટી અને અન્ય ઘણી કમિટીઓના સભ્ય તરીકે સેવાઓ આપી છે.
  • પોર્ટફોલિયો મેનેજર્સ માટે ઇંડસ્ટ્રી ટ્રેડ બૉડી, APMI (એસોસિયેશન ઑફ પોર્ટફોલિયો મેનેજર્સ ઇન ઇંડિયા)ની સ્થાપના કરી અને તેના સંસ્થાપક પ્રમુખ હતા.

અન્ય

  • NJ ચેરિટેબલ ફાઉંડેશનના નિદેશક તરીકે સક્રિયપણે સેવા આપે છે. જેના માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનો આપીને વંચિત બાળકોના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છે.
  • 1996થી એક સક્રિય રોટેરિયન પણ છે.
  • વર્ષ 2008 માટે જુનિયર ચેંબર દ્વારા ઝોનલ લેવલ પર 'આઉટસ્ટેંડિંગ યંગ બિઝનેસ મેન ઑફ ધ ઇયર' એવૉર્ડ પણ મેળવ્યો છે.
Jignesh Desai
શ્રી જીજ્ઞેશ દેસાઈ

સહ-સંસ્થાપક, NJ ગ્રુપ

શ્રી જીજ્ઞેશ દેસાઈ NJ ગ્રુપ ઑફ કંપનીઝ (સુરત) ના સહ-સંસ્થાપક અને પ્રમોટર છે. તેમણે સિવિલ એંજિનિયરિંગમાં પોતાનો શિક્ષણ પૂરો કર્યો અને તે પછી તેમની પ્રોફેશનલ યાત્રા પ્રારંભ કરી. 1994 માં, ગ્રેજ્યુએટ થયા પછી તરત જ, તેમણે શ્રી નીરજ ચોક્સી સાથે સુરતમાં ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ પ્રારંભ કર્યો. વર્તમાનમાં, NJ ઇંડિયા ઇન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ભારતના સૌથી મોટા ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર્સમાંનું એક છે. NJ ગ્રુપ ભારતમાં 205+ સ્થાનો પર ઑફિસો સાથે વ્યાપક ઉપસ્થિતિ ધરાવે છે. ગ્રુપ પાસે 2339 કર્મચારીઓનું કાર્યબળ છે. ગ્રુપનો મુખ્ય બિઝનેસ, NJ વેલ્થ પાસે, 31/03/2025 સુધી 45,910 એક્ટિવ ડિસ્ટ્રીબ્યૂટર્સ અને 2,37,736 કરોડ રૂપિયાથી વધુનું એસેટ્સ અંડર મેનેજમેંટ (AUM) છે.

સમય સાથે, તેમના નેતૃત્વમાં કંપનીનો વિસ્તરણ થયો અને NJ ના બિઝનેસ પોર્ટફોલિયો માં વિવિધતા આવી.

NJ ગ્રુપે ઇંશ્યોરેંસ બ્રોકિંગ, એનબીએફસી (NBFC) સર્વિસેસ, ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી, રિયલ એસ્ટેટ અને એફએમસીજી (FMCG) જેવા ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે, જે શ્રી જીજ્ઞેશની નવાચાર (ઇનોવેશન) અને સતત (સસ્ટેનેબલ) વૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

શ્રી જીજ્ઞેશ એસેટ મેનેજમેંટ બિઝનેસના ડાયરેક્ટર પણ છે, જે 31/03/2025 સુધી 10,475 કરોડ રૂપિયાના એસેટ્સ અંડર મેનેજમેંટ (AUM) નું મેનેજમેંટ કરી રહ્યા છે.

શ્રી જીજ્ઞેશ ફાઇનેંશિયલ ઇંટરમિડીયરીઝ એસોસિએશન ઑફ ઇંડિયા (FIAI) ના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ તરીકે કાર્યરત છે અને નવસારી મેનેજમેંટ એસોસિએશન (NMA) ના પૂર્વ અધ્યક્ષ છે. તેમના નેતૃત્વે NJ ગ્રુપની રણનીતિક દિશા અને વિકાસને આકાર આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના દ્વારા વિશ્વાસના આધાર પર બનેલ બિઝનેસ તરીકે ગ્રુપની પ્રતિષ્ઠા મજબૂત થઈ છે.

શ્રી જીજ્ઞેશ સક્રિય રીતે સમાજના કાર્યોમાં યોગદાન આપે છે. તેમને નવસારીના બૃહદ અનાવિલ સમાજ દ્વારા 'અનાવિલ રત્ન' થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી જીજ્ઞેશ નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઈઝેશંસમાં પણ વિવિધ પદોની જવાબદારી સંભાળે છે. તેઓ NJ ચેરિટેબલ ફાઉંડેશન, નવસારીમાં રોટરી આઈ હૉસ્પિટલ, નવસારી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને નવસારીમાં બૃહદ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ભૂમિકા તેમના પ્રયાસોને દર્શાવે છે, જે સમાજ માટે કશુંક કરવાના અને વિવિધ સામાજિક પહેલોનું સમર્થન કરવાનો તેમના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.